સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયાનો ઇતિહાસ કાલરી ગામ ના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામ ના રાજા હતા. આ રાજા ના લગ્ન વસાઈ ગામ ના વાઘેલી કુંવારી સાથે થયા હતા. વજેસિંહ સોલંકી ને બીજી રાણીઓ પણ હતી. પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું .
છેવટે જુવાન વાઘેલી રાની ને મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્ર ની પણ પુત્રી હતી. રાની એ પુત્રી જન્મ્યા ની વાત ગુપ્ત રાખી કારણકે વારસદાર-પુત્ર ન હોય તો રાજગાદી પિ`તરાઈઓ ના હાથ માં જવા નો ડર હતો. આથી રાની એ દાસી સાથે મસલત કરી ને સવારે રાજા ને ખબર મોકલાવી કે વાઘેલી રાની ને પુત્ર જન્મ થયો છે. રાજા આ સાંભળી ને ખુબ ખુશ થયા.
રાની એ કન્યા ને પુરુષ;ના કપડા પહેરાવી વડારનો ને સાધી ને વાત અત્યંત ગુપ્ત રાખી. સૌ કોઈ સોલંકી ને ત્યાં પુત્ર જન્મ્યા નું માનતા હતા. કુંવર નું નામ તેજપાલ રાખ્યું. તેનું સગપણ પાટણ ના ચાવડા રાજા ની પુત્રી સાથે કરવા માં આવ્યું. અંતે તેજપાલ ના ચાવડી રાજકન્યા સાથે લગ્ન પણ થઇ ગયા.
હવે ગુપ્ત રાખેલ રહસ્ય; ખુલવા નો સમય નજીક આવ્યો. જયારે કુંવરી હર્ષપૂર્વક પતિ પાસે ગયા ત્યારે ગુપ્તતા ખુલ્લી પડી ગઈ. તે પોતાના જેવી જ એક યુવતી ને પરણી છે એ જાણી ને તે ખુબ દુ:ખી થયા. એમની આશાઓ અને અરમાનો પડી ભાંગ્યા. જગત માં કોઈ નવોઢા ને ન સાંપડી હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને આ દુ:ખિયારા ચાવડી કન્યા હતાશ મને પિયર ચાલી આવ્યા. પોતાના દુ:ખ ની વાત ને કોઈ ને કહી શકતા નહોતા ને મનમાં જ મૂંઝાતા હતા. દીકરી ની ચિંતા માં કળી ગઈ એમને દિકરી ને બેસાડી ને પ્રેમ થી પૂછ્યું, “બેટા ! તું કેમ આટલી દુ:ખી દેખાય છે ?
રડતી આંખે દિકરીએ માં આગળ આપવીતી કહી તેમને કહ્યું તમે મને પુરુષ સાથે નહિ પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. તમારા જમાઈ- સોલંકી કુંવર પુરુષ નથી પરંતુ પુરુષ ના કપડા માં સ્ત્રી જ છે. કાનોકાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ. એ વાત ની જાણ પાટણ ના રાજા ચાવડા ને પણ થઇ.
પોતાના જમાઈ વીશે સાચી હકીકત શીછે; તે જાણવા માટે પાટણ ના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી ને પોતાને ત્યાં રમવા-જમવા બોલવા નો પત્ર લખી એક સાંઢણી કાલરી તરફ હંકારી મોકલાવી. પત્ર માં લખ્યું હતું કે જમાઈરાજ સાથે તમે અને તમારા સાથે તમારા બધા સોલંકી મિત્રો પણ બે દિવસ આનંદપ્રમોદ માટે અમારે ત્યાં પાટણ પધારો.
આ સંદેશો સોલંકી રાજા; ને મળતા ચારસો (૪૦૦) સોલંકી એકઠા થઇ ઘરેણા વગેરે પહેરી બખ્તર વગેરે ચઢાવી પાટણ ના વેવાઈ ચાવડા રાજા ને ત્યાં પોતાના કુંવર સાથે ગયા. ત્યાં જમવા ની તૈયારી થવા લાગી ત્યારે પાટણ ના ચાવડા રાજા એ તેજપાલ ને કહ્યું જમાઈરાજ તમે સ્નાન કરી લોસૌ સાથે જમવા બેસીએ .આ વેણ સંભાળતા જ સોલંકી કુંવર ઊંડા વિચાર માં પડ્યાને કંઈ જ બોલ્યા વિના ઉભા રહ્યા, એટલે
સસરા એ ફરીથી; કહ્યું જમાઈરાજ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નહાવા બેસો અમે ચોળી ને નવડાવી એતે વખત તેજપાલ વિચારવા લાગ્યા કે હું ઉંમરલાયક કન્યા છું. પુરુષ નથી વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌ ની વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે તે વખતે આગ્રહ કરતા તેમના વડસસરાએ તેમનો હાથ પકડવા નો પ્રયત્ન કર્યો. તે જોઈ તેજપાલ ઘૂંઘવાઈ ને કમર માંથી કટારી કાઢી ને ખેંચતા વડસસરા ને હુલાવી દીધી.
આખા પાટણ માં હાહાકાર મચી ગયો;. ચાવડા રાજા ના સૈનિકો મૂંઝવણ માં હતા. આ તક નો લાભ લઈ ને તેજપાલે પોતાના ચાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો. એટલા માં ચાવડા રાજા ના સૈનિકો તેમને ઘેરી વળ્યા અને તેમને મારવા નો પ્રયત્ન કરવા લાગ્યા. પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહિ . કારણ કે તે એક સ્ત્રી છે. અને સ્ત્રી હત્યા નું પાપ તે ગૌવધ ના પાપ બરાબર છે. તેજપાલે ઝડપ થી લાલ ઘોડી પર સવાર થઇ લગામ ખેંચી.
તેમને રોકવા ચાવડા રાજા; એ પાટણ ના બારેય દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્ય ને લઇ ને તેમની પાછળ પડ્યા. આ સમયે તેજપાલ ને બચાવવા ચારસો (૪૦૦) સોલંકી ચાવડા સૈન્ય સાથે જંગે ચઢ્યા. અંતે એ ચારસો સોલંકી યોદ્ધાઓ વીરગતિ પામ્યા. અને તેજપાલ ઘેરાઈ ગયા. તેજપાલે પણ ક્ષત્રિયનું શૌર્ય બતાવી ને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને સાતસો (૭૦૦) ચાવડા સૈનિકો ને ઢાળી દીધા.
અંતે તે પોતાની ઘોડી ને એડી મારી ને પાટણ નો કોટ કુદાવી બહાર આવી ગયા. એ દક્ષીણ દિશા માં ભર જંગલ ની ઝાડી તરફ નાસવા લાગ્યા આ વખતે તેજપાલ સોલંકી ની સાથે એક કુતરી પણ ઘોડીનો સાથ કરતી દોડી રહી હતી. તે વખતે જેને શુરાતન ચડેલું છે તથા અંબોડો છૂટો મૂકી દીધો છે તેવા તેજપાલ શ્રી માતાજી ના સ્થાનક પાસે ના બોરુવન માં આવી પહોંચ્યા સાંજ પડી ગઈ હતી.
ઉનાળા નો ચૈત્ર મહિનો હતો એટલે તે તાપ થી અકળાતા હતા. હાલ જ્યાં શ્રી બાલા બહુચરાજી માતાજી નું સ્થાન છે અને માન-સરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો. સાથે કુતરી પણ ખુબ તરસી થઇ હતી. ત્યાં પાણી નું નાનું તળાવડું અને વરખડી નું ઝાડ હતું. તે જળાશય માં કુતરી પાણી પીવા પડી અને નાય ને આળોટવા લાગી તેજપાલ આ બધું જોતા હતા કારણકે છેક પાટણ થી આફત સમયે અહી સુધી સાથે આવેલી કુતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો.
પણ તેજપાલ ના આશ્ચર્ય વચ્ચે શ્રી જગદંબા બાલા બહુચરાની કૃપા થી જળાશય માં નહાવા પડેલી કુતરી હવે કુતરો બની ગઈ હતી. તેજપાલે તે નજરે જોયું અને એ ભારે અચંબો પામ્યા. સમી સાંજ હતી તેથી વરખડી ઝાડ પર ચઢી તેમણે જોઈ લીધું તો વન માં એટલામાં ફરતે કોઈ દેખાયું નહિ એટલે નહાવા માટે વસ્ત્ર ઉતારવા માં કોઈ વાંધો ના જણાયો.
તેમણે પ્રથમ તો ખરી કરવા પોતાની લાલ ઘોડી ને જળાશય માં નાખી તો જગદંબા ની કૃપા થી તો ઘોડી મટી ઘોડો થઇ ગયો. હવે પૂરી ખાતરી થતા તેમણે પણ વસ્ત્ર ઉતારી તળાવ માં જંપલાવ્યું તો માની કૃપા થી તેમના સ્ત્રી ના ચિન્હો જતા રહ્યા. એમને મૂછો સુદ્ધા આવી અને તે નારી મટી નર બની ગયો.
રાત ત્યાજ ગાળી ને સવારે આગળ પ્રસ્થાન કરતા પહેલા આ જગ્યા ઝટ જડે તે માટે તેમને વરખડીના ઝાડ પાસે ત્રિશુલનું ચિન્હ કરી નાખ્યું. અને પછી કાલરી ગામ તરફ રવાના થયા. ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણી મોકલી. સૌ હર્ષ પામી સમા તેડવા આવ્યા અને તેમને માન પૂર્વક ઘરે લાવ્યા. પછી તેમણે પાટણ માં પોતાના સાસરે પોતાની પત્નીનું આણું વળાવવા માંગણી કરી. ચાવડી કન્યાએ પણ પુરા સમાચાર જાન્ય
અને તેમની ખુશીનો પાર ના રહ્યો તેમણે સાસરે પગલા માંડ્યા પાટણના ચાવડા રાજાને જાણતો કરી હતી કે શ્રી બહુચરાજી માતા ની કૃપા થી તથા ચમત્કારથી પોતાના જમાઈને પુરુષતન મળ્યું છે. પણ હજુ તેમને શંકા હતી. આથી શ્રી બહુચરાજી માતાએ રાજા ને સ્વપ્ન આપી આ વાત સાચી છે એમ જણાવ્યું. આથી તે ખુબ ખુશ થયા.
એટલું જ નહિપણ સોલંકી કુંવર ને પગે પડ્યા. તેમણે શ્રી જગદંબા પાસે માફી માંગી કે હે શ્રી જગદંબા હે આદ્ય શક્તિ મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે. મને ક્ષમા કર. અને પ્રસન્ન થા. તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબા એ તેમને અભય વરદાન આપ્યું.
ત્યાર પછી પોતાની પત્ની તથા સસરા વગેરેને લઇ ને તે સોલંકી કુંવર તેજપાલ બહુચરમાંના પ્રાગટ્યવળી જગ્યાએ આવ્યા. વરખડીના ઝાડ પર તેમને ત્રિશુળનું ચિન્હ કરેલું આથી તે જગ્યા તરત જ જડી ગઈ. વનમાં તે જ જગ્યાએ સોલંકી એ શ્રી બાલા ત્રિપુરા બહુચારામ્બા નું નાનું મંદિર ( હાલ મોટા મુખ્ય મંદિર પાછળ વરખડીવાળું સ્થાન) બંધાવ્યું ત્યાં જે નાનું જળાશય હતું.
જેમાં નહાવાથી પોતે પુરુષાતન પામેલા તે પુરાવી નાખ્યું વરખડીનું ઝાડ પણ અંદર રહે તે રીતે સંવત ૭૮૭ માં મંદિર બંધાવ્યું. અત્યારનું જે માન-સરોવર છે તે પણ એવા જ ચમત્કારી જળવાળું મનાય છે. આ મંદિરમાં સોલંકીએ ઉત્તરાભિમુખનો શ્રી માતાજી નો ગોખ બનાવી તેમાં ચાર હાથવાળી શ્રી બાલા બહુચરાજી માતાજીની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી.
શ્રી માતાજીના આ પ્રગટ્યથી તેમના પરચાઓ દુનિયાભરમાં ફેલાઈ ગયા. શ્રી બાલા બહુચરાજી માતાને ચમત્કારીક જાણી તેમના ઘણા ભક્તોએ ઘણા ગામોમાં તેમના મંદિરો બંધાવ્યા છે. ભક્ત કવિ શ્રી દયારામભાઈ લખે છે કે શ્રી બાળા બહુચરાજી ત્રિપુરા સુંદરીનું આ પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના દિવસે થયું હતું.આ ચમત્કારની વાત સમગ્ર ચુંવાળ પંથકમાં પર્સરતા માતાજીના દર્શને હજારો લોક ઉમટી પડ્યા.ત્યારથી ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે અને વર્ષો વર્ષ ભક્તોની સંખ્યા વધતી જાય છે….