મહાકુંભ સ્નાન ક્યારે છે અને શું છે તેનું મહત્ત્વ જાણો

મહાકુંભ સ્નાન ક્યારે છે અને શું છે તેનું મહત્ત્વ જાણો:
પ્રયાગરાજ ગંગા, યમુના અને અદૃશ્યપ્રયાગરાજ ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ તરીકે પ્રસિદ્ધ છે. મહાકુંભમેળો એ ધાર્મિક-આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે, જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું હિંદુઓ માને છે.

કુંભમેળાને સદીઓથી પૃથ્વી પરના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ મેળાને જોવા માટે દુનિયાભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચે છે. જોકે સરસ્વતી નદીના અસ્તિત્વને લઈને વાદ-વિવાદ છે. આ નદી હાલ લુપ્ત થઈ છે અને તેના અસ્તિત્વને શોધવા માટે સંશોધનો ચાલી રહ્યાં છે. પરંતુ એ નિર્વિવાદ છે કે અલાહાબાદ એટલે કે પ્રયાગરાજ એ ગંગા અને યમુનાનું સંગમસ્થાન છે.

કુંભમેળા દરમિયાન પ્રયાગરાજના આ ત્રિવેણી સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવે છે:
કુંભમેળો મકરસંક્રાંતિ એટલે કે હિંદુ શાસ્ત્રો અને હિંદુ પંચાગ પ્રમાણે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે,ત્યારે અથવા તો પોષ પૂર્ણિમાના રોજ આરંભ થાય છે. 2025નો મહાકુંભમેળો ની પોષ પૂર્ણિમા એટલે કે 13મી જાન્યુઆરીએ શરૂ થશે અને મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે…કુંભમેળાના આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે, પરંતુ કેટલીક તિથિઓ વિશિષ્ટ હોય છે જ્યારે વિભિન્ન અખાડાઓના સંતો પોતાના શિષ્યો સાથે ભવ્ય સરઘસ કાઢે છે અને તેઓ ભવ્ય અનુષ્ઠાન કરે છે.

આ વિધિને શાહી સ્નાન પણ કહેવામાં આવે છે. શાહી સ્નાન એ કુંભમેળાના શુભારંભનું પ્રતીક છે સાથે આકર્ષણનું કેન્દ્ર પણ છે. નોંધનીય છે કે મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે અને એટલે કે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન પૈકી એક શહેરની યજમાન શહેર તરીકેની પસંદગી થતી હોય શે.જૂના અખાડાના નાગા સાધુઓનો પ્રયાગરાજમાં નગરપ્રવેશ..

પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમેળામાં શાહી સ્નાન માટે વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવે છે. આમ તો જાણકારો માને છે કે શાહી સ્નાન અને સાધુઓના સરઘસ કે જેને પેશવાઈ પણ કહે છે તેનો ઉલ્લેખ વેદ-પુરાણ કે કોઈ હિંદુ શાસ્ત્રોમાં નથી, છતાં આ પરંપરા વર્ષો જૂની છે.જ્યારે મહાકુંભ માટે સરઘસ સાથે સાધુઓ પ્રયાગરાજ આવે છે ત્યારે તેમનું જે પ્રકારે સ્વાગત થાય છે તેને પેશવાઈ કહે છે. આ સરઘસ સાથે વિવિધ અખાડાના સાધુ-સંતો હાથી, ઘોડા કે પાલખીમાં મહાકુંભનગરીમાં, પ્રવેશ કરે છે.

ચોથું શાહી સ્નાન વસંતપંચમી એટલે કે ત્રણ ફેબ્રુઆરીના રોજ:
આ પવિત્ર સ્નાનની શરૂઆત નાગા સાધુઓથી થાય છે ત્યાર બાદ અન્ય શ્રદ્ધાળુઓની સ્નાન કરવાની પરંપરા છે.જોકે, હવે શાહી સ્નાનની જગ્યાએ ઉત્તર પ્રદેશની સરકારે અમૃત સ્નાન શબ્દપ્રયોગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કે સાધુઓના સરઘસની પેશવાઈને હવે નગરપ્રવેશથી ઓળખાવાશે.3 ફેબ્રુઆરીના રોજ ચોથું શાહી સ્નાન વસંતપંચમી એટલે કે ત્રણ ફેબ્રુઆરીના રોજ ચોથું શાહી સ્નાન છે.

હિંદુ પંચાંગ પ્રમાણે માઘ માસની શુક્લપક્ષની પાંચમને વસંત પંચમીના નામે ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર વસંતપંચમી ઋતુઓમાં પરિવર્તન તથા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીના આવિર્ભાવના ઉત્સવનું પ્રતીક છે. આ દિવસે નદીમાં સ્નાન, દાન અને પૂજનનું અનોખું મહત્ત્વ છે.માઘી પૂર્ણિમા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ પાંચમું શાહી સ્નાન થશે.

હિંદુ પંચાંગ પ્રમાણે માઘી પૂર્ણિમાને માઘ માસનો અંતિમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પણ પવિત્ર જળમાં સ્નાનનું મહત્ત્વ છે. હિંદુ માન્યતાઓ પ્રમાણે આ દિવસે દેવતાગણ પૃથ્વીલોકમાં ભ્રમણ માટે આવે છે. માઘી પૂર્ણિમા કલ્પવાસની પૂર્ણતાનો પર્વ પણ છે.હિંદુ શાસ્ત્રોની માન્યતા પ્રમાણે કલ્પવાસ એ એક માસની તપસ્યા અને સાધના આ તિથિના રોજ પૂર્ણતાને પ્રાપ્ત થાય છે.26મી ફેબ્રુઆરીના રોજ અંતિમ શાહી સ્નાન

મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ અંતિમ શાહી સ્નાન છે; આ દિવસે મહાકુંભ મેળાની પૂર્ણાહુતિ પણ છે:
હિંદુ પંચાંગ પ્રમાણે ફાગણ માસના કૃષ્ણપક્ષની ત્યયોદશી એટલે કે તેરસને મહાશિવરાત્રિના રૂપે મનાવવામાં આવે છે.હિંદુ શાસ્ત્રો અને પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો. આ કુંભનું અંતિમ સ્નાન પણ છે.હિંદુ માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન કરવાથી અને શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ વખતનો મહાકુંભ કેમ ખાસ ? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગપ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે ?આધ્યાત્મિક મહત્વ:શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે પાપોનું શુદ્ધિકરણ કરવાનું સાધન માનવામાં આવે છે.

કુંભ મેળાનો ઇતિહાસ:
કુંભ મેળાનું ઉદભવ હિંદુ ધર્મગ્રંથો અને પુરાણોમાં वर्णવાયેલા સમુદ્ર મંથનની દંતકથાઓ સાથે જોડાયેલું છે. એવી માન્યતા છે કે કુંભ (ઘડું)માંથી અમૃત (અખંડ જીવનનો પદાર્થ) ટપકાવવાથી આ 4 સ્થળો પર અમૃતની બેંદર પડી હતી. પ્રયાગરાજમાં યોજાયેલ આ 2019નો કુંભ મેળો આધુનિકતા અને પરંપરાનો શ્રેષ્ઠ સમન્વય હતો, જેમાં ધાર્મિક શ્રદ્ધા સાથે વિશ્વભરના લોકોને આકર્ષતા ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા….

Leave a Comment