આપણું શરીર તંદુરસ્ત રાખવા માટે પાણી કેમ વધુ પીવું જોઈએ?

શરીરને તંદુરસ્ત અને તાજું રાખવા માટે હમેશા હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. આપણું શરીર આશરે 70% પાણીથી બનેલું છે, અને તે શરીરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં સહાયક બને છે – જેમ કે તાપમાનનું નિયંત્રણ, આંખ અને મોઢાની ભેજ જાળવી રાખવી, ટૉક્સિન દૂર કરવાં, પોષકતત્ત્વો કોષો સુધી પહોંચાડવા વગેરે. જો શરીરમાં પાણીની ઉણપ થાય તો તેના કારણે માઇગ્રેન, અપચો, હાઇ બ્લડપ્રેશર, કિડની સ્ટોન, બ્રેસ્ટ કેન્સર, યૂટેરાઇન કેન્સર, સાઇનસ, ટીબી તેમજ સ્થૂળતા જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

પાણી એ ખરેખર જીવનનું  અમૃત છે.

ખાલી પેટ પાણી પીવાના લાભ:-

વિજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે સવારે ખાલી પેટ પાણી પીવાથી અનેક  લાભ થાય છે. નીચે તેના કેટલાક મુખ્ય ફાયદા આપેલા છે:

1. આંતરડાં સાફ થાય છે અને ડિટૉક્સ થાય છે

સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે અને આંતરડાં સાફ થાય છે. શરીર હળવું અનુભવે છે અને આખા દિવસ માટે ઊર્જાવાન બને છે.

2. માથાનો દુખાવો અને માઇગ્રેન દૂર થાય

જ્યારે શરીર ડિહાઇડ્રેટ થાય છે ત્યારે માથાના તણાવ અને માઇગ્રેન થઈ શકે છે. સવારે ખાલી પેટ પાણી પીવાથી મગજના ટિશૂસ હાઇડ્રેટ થાય છે અને માઇગ્રેન ઓછું થાય છે.

3. મોઢાની દુર્ગંધ દૂર થાય

સવારે પાણીથી મોં ધોઈને અને પાણી પીવાથી મોઢાના લગભગ 60% બેક્ટેરિયા નાશ પામે છે. વધુમાં, પાણીથી થતું થૂંક ઉત્પાદન દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ બને છે.

4. રોગપ્રતિકારક શક્તિ વધે છે

શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. હાઇડ્રેટેડ રહેવાથી શરીર વિવિધ પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ પામે છે.

5. લોહિચાપ નિયંત્રિત થાય

પાણી લોહી પાતળું બનાવે છે અને હૃદયના દબાણને ઓછું કરે છે. ખાલી પેટ પાણી પીવાથી કિડની સારી રીતે કાર્ય કરે છે અને બ્લડપ્રેશર સારો રહે છે.


પાણી પીવાનો યોગ્ય રીત:-

  • પાણી હળવે ઘૂંટડે  પીવું જોઈએ. દરેક ઘૂંટડો  મુખમાં રહીને લાળ  સાથે પેટમાં જાય છે અને તે પેટના એસિડને નાબૂદ કરે છે.

  • ખૂબ વધુ પાણી એકસાથે ન પીવું. તે પાચન રસોને પાતળા કરીને પાચનતંત્રને બગાડી શકે છે.

  • રુમ ટેમ્પરેચર અથવા હળવો ગરમ પાણી પીવું વધુ ફાયદાકારક છે.


સવારે પાણીમાં થોડો બદલાવ કરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે :

1. ફળવાળું પાણી

પાણીમાં લીંબુ, તરબૂચ, સંત્રા કે સ્ટ્રોબેરી જેવા ફળોના ટુકડાઓ નાખો.

2. લીંબુ પાણી

સાદું લીંબુ પાણી બહુ જ હાઇડ્રેટિંગ છે – ખાસ કરીને જો તેમાં ખાંડ નો ઉપયોગ કરવામાં ન આવે.

3. જીરું પાણી

રાતે જીરાં ભીંજવીને સવારે તેનું  પાણી પીવો, વજન ઘટાડવા અને શરીરને ઠંડક આપવા માટે ઉત્તમ છે.

4. એપલ સાઈડર વિનેગર

એક ચમચી એપલ સાઈડર વિનેગર અને એક ચમચી મધ ગરમ પાણીમાં નાખીને પીવું – પેટ માટે ખૂબ લાભદાયી છે.

5. આદુ પાણી

આદુવાળું ગરમ પાણી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને ભૂખ ઘટાડે છે.


સારાંશ

સૌ જાણે છે કે પાણી શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ સવારે ખાલી પેટ પાણી પીવું એ એક વ્યાવહારિક અને સરળ ઉપાય છે જે શરીરને ડિટૉક્સ કરે છે, પાચન સુધારે છે અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.


પાણી ક્યારે ન પીવું જોઈએ?

સૂવાના થોડા સમય પહેલાં પાણી પીવાથી રાત્રે વારંવાર પેશાબ માટે જવું પડે છે,જેથી ઊંઘમાં ખલેલ  પડે છે. તેથી સૂવાંના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં પાણી પીવાનું બંધ કરવું જોઈએ.


શું પાણી ઘૂંટ ઘૂંટ કરીને પીવું સારું છે?

હા, ધીમે ધીમે પાણી પીવું વધુ ફાયદાકારક છે. તે લાળના ઉત્પાદનમાં વધારો કરે છે જેનાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને શરીરમાંથી નકામો કચરો દૂર કરવામાં સહાયક બને છે.


ગરમ પાણીના ફાયદા

આયુર્વેદ મુજબ ગરમ પાણીથી ઠંડક અને ભેજનું સંતુલન થાય છે. તે પાચન તંત્ર અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે તેમજ શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે.


Leave a Comment